એવં બહુવિધા યજ્ઞા વિતતા બ્રહ્મણો મુખે ।
કર્મજાન્વિદ્ધિ તાન્સર્વાનેવં જ્ઞાત્વા વિમોક્ષ્યસે ॥ ૩૨॥
એવમ્—એ રીતે; બહુવિધા:—વિવિધ પ્રકારના; યજ્ઞા:—યજ્ઞો; વિતતા:—વર્ણવ્યા છે; બ્રહ્મણ:—વેદોના; મુખે—મુખ દ્વારા; કર્મ-જાન્—કર્મથી ઉત્પન્ન; વિદ્ધિ—જાણ; તાન્—તેમને; સર્વાન્—સર્વને; એવમ્—એ પ્રમાણે; જ્ઞાત્વા—જાણીને; વિમોક્ષ્યસે—તું મુક્ત થઇ જઈશ.
BG 4.32: આ સર્વ વિભિન્ન પ્રકારના યજ્ઞો વેદોમાં વર્ણવવામાં આવ્યા છે. તેમને વિભિન્ન પ્રકારના કર્મમાંથી ઉત્પન્ન થયેલા જાણ; આ જ્ઞાન માયિક બંધનોની ગાંઠ કાપી નાખે છે.
એવં બહુવિધા યજ્ઞા વિતતા બ્રહ્મણો મુખે ।
કર્મજાન્વિદ્ધિ તાન્સર્વાનેવં જ્ઞાત્વા વિમોક્ષ્યસે ॥ ૩૨॥
આ સર્વ વિભિન્ન પ્રકારના યજ્ઞો વેદોમાં વર્ણવવામાં આવ્યા છે. તેમને વિભિન્ન પ્રકારના કર્મમાંથી ઉત્પન્ન થયેલા જાણ; આ જ્ઞાન માયિક બંધનોની …
Sign in to save your favorite verses.
Sign InStart your day with the timeless inspiring wisdom from the Holy Bhagavad Gita delivered straight to your email!
વેદોની અનેક સુંદર વિશેષતાઓમાંથી એક એ છે કે તે મનુષ્યોની પ્રકૃતિની અનેક વિભિન્નતાઓથી પરિચિત છે અને તદ્નુસાર તેમાં જોગવાઈ કરવામાં આવી છે. વિભિન્ન પ્રકારની રુચિ ધરાવતા સાધકો માટે વિભિન્ન પ્રકારના યજ્ઞોનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં એકમાત્ર સામાન્ય સિદ્ધાંત એ છે કે તેનું અનુપાલન ભક્તિપૂર્વક ભગવાનને સમર્પિત કરવા થવું જોઈએ. આ જ્ઞાનથી, કોઈ વ્યક્તિ વેદોમાં વર્ણિત બહુવિધ આદેશોને કારણે કિંકર્તવ્યવિમૂઢ થયા વિના પોતાની પ્રકૃતિને અનુરૂપ ચોક્કસ યજ્ઞનું અનુપાલન કરીને, માયિક બંધનોથી મુક્ત થઈ શકે છે.